Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

બહેન સાથે કેમ વાત કરે છે ? મોરબીના અલી શેખને ચાર શખ્સોએ મારમાર્યો

નવલખી રોડ પર બે બાઇક અથડાતા વકીલ ભરતભાઇ ભટ્ટને ઇજા

મોરબી તા.પ : મોરબીમાં બહેન સાથે વાત કરવા મુદે ચાર શખ્સોએ મારતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મોરબીના વાવડી રોડ પર ક્રિષ્નાપાર્ક-રના રહેવાસી અલીભાઇ હાજીભાઇ શેખ (ઉ.વ.ર૬) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને આરોપી એક જ સોસાયટીમાં રહેતા હોય અને આરોપી આદિલભાઇ પોતાના મિત્રો સાથે હાથમાં લાકડીઓ આવી ફરીયાદી યુવાન અલી શેખને તે બહેન રૂબીના સાથે કેમ વાત કરે છે કહીને આરોપી આદીલ શેખ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ લાકડીી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાવી છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.

અન્ય એક બનાવમાં મોરબીના શનાળા રોડ પરના રહેવાસી તેમજ વકીલ અને નોટરી તરીકે કાર્યરત ભરતકુમાર કનૈયાલાલ ભટ્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પોતાનું પ્લેટીના મોટર સાયકલ નંી જીજે૦૩ બીપી ૩પ૬પ લઇને નવલખી રોડ પર પરશુરામ મંદિર પાસેથી જતા હોય ત્યારે અજાણ્યા મોટર સાયકલ ચાલકે તેનું મોટર સાયકલ ચાલક પાછળથી ભટકાડી ફરીયાદી ભરતકુમાર ભટ્ટને પાડી દઇ માથામાં તેમજ હાથપગમાં ઇજા કરી છે અને અકસ્માત બાદ મોટર સાયકલ ચાલક નાસી ગયો છે બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ આદરી છે.

(11:41 am IST)