Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પોરબંદરના પોલીસ વાયરલેસ ઇન્સપેકટર પી.કે. રાણપરિયા અને પીએસઆઇ એન.ડી.પરમારને નિવૃતિ વિદાયમાનઃ

પોરબંદર ખાતે ફરજ બજાવતા.... પોલીસ વાયરલેસ ઇન્સ્પેકટર પી.કે.રાણપરિયા તથા પીએસઆઇ એન.ડી.પરમાર તા.૩૧/૧૦/૨૦૧૯ ના રોજ વય નિવૃત થતાં જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ દ્વારા નિવૃત થતાં અધિકારી/કર્મચારીઓનો નિવૃત્ત્િ। વિદાય સમારંભ પોલીસ હેડ કવાર્ટર, પોરબંદર ખાતે યોજાવામાં આવ્યો હતો. જેમાં નાયબ પોલીસ અધિકારીશ્રી જે.સી.કોઠીયા, ભરત પટેલ, વી.ડી.વસાવા તેમજ બહોળી સંખ્યામાં અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:41 am IST)