Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સોનગઢના આધેડ પશુપાલકનું મોત : ગોહિલવાડમાં કોંગો ફીવરે પાંચનો ભોગ લીધો

ભાવનગર, તા. પ : ભાવનગર પંથકમાં કોંગો ફીવરથી વધુ એકનું મોત નિપજયું છે. સોનગઢના આઘેડનું કોંગો ફીવરનો રીપોર્ટ આવ્યાના બીજા દિવસે જ મોત નિપજયું છે.

ભાવનગર જીલ્લામાં પશુ આધારીત કોંગો ફીવર નામના ઝેરી રોગચાળાએ માથુ ઉંચકયું છે. જીલ્લામાં છેલ્લા નવા મહિનામાં આજે પાંચમું મોત કોંગો ફીવરથી થયું છે.

ભાવનગરના સોનગઢ ગામે રહેતા અને પશુપાલન સાથે જોડાયેલા પ૩ વર્ષીય આધેડ દર્દીને ડેન્ગ્યુની અસર થતા ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડાયેલ જયાં તેને કોંગો ફીવરની અસરો પણ જણાતા તેઓ કોંગો ફીવરની સારવાર પણ શરૂ કરાઇ હતી અને તેના સેમ્પલો લઇ પરિક્ષણ અર્થે મોકલી આપવામાં આવતા તેનો ગઇકાલે જ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને આજે તેમનું મોત નિપજયું હતું. આ સાથે જીલ્લામાં કોંગો ફીવરથી મૃત્યુઆંક પાંચ થયો હતો.

દરમ્યાન આજે જે આધેડનું કોંગો ફીવરપી મોત નિપજયું હતું તેમના મૃતદેહને સરકારી ગાઇડ લાઇન મુજબ પેક કરીને અંતિમવિધિ માટે તેમના પરિવારને સુપ્રત કરવામાં આવ્યો હતો.

(11:39 am IST)