Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

દશેરાએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શસ્ત્ર પૂજન

પવનચક્કી ચોકમાં શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

જામનગર : જામનગરમાં વિજયાદશમીના પાવન પર્વે પવનચક્કી ચોકમાં શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં સૂર્યમુખી હનુમાનજી મંદિરના પૂજારી સચિનભાઈ અગ્રાવતે શાસ્ત્રોત વિધિથી શસ્ત્ર પૂજન કરાવ્યું હતું.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, સુબ્રમણયમભાઈ પિલ્લે, નગર સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, જિલ્લા પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, બજરંગ દળ ના જિલ્લા સંયોજક હિરેનભાઈ ગંઢા, સહ સંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, વિદ્યાર્થી સંયોજક નવનીતભાઈ હેડાવ, મહિલા વિભાગના સંયોજીકા હીનાબેન અગ્રાવત, વર્ષાબેન નંદા, દુર્ગાવાહિનીના સ્નેહાબા ચૌહાણ સહિતના હોદ્દેદાર અગ્રણીઓ કાર્યકરોએ શસ્ત્ર પૂજન કર્યું હતું.

 

(7:41 pm IST)