Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જામનગરમાં રાત્રે રાવણ દહન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૫ : જામનગરમાં આજે વિજયાદશમીના પાવન પ્રસંગે પ્રણામી સ્‍કૂલ પાસે આવેલા પ્રણામીના ગ્રાઉન્‍ડમાં રાવણ દહન કરનાર છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના કાર્યક્રમને લઈને દર વર્ષે યોજતા પ્રદર્શન ગ્રાઉન્‍ડમાં રાવણ દહનના કાર્યક્રમને આ વર્ષે પ્રણામી સ્‍કૂલના ગ્રાઉન્‍ડમાં સ્‍થળ બદલી કરવામાં આવનાર છે ત્‍યારે રાવણ દહન ની તૈયારી પૂર્વે વિશાળ દસ માથા વાળો રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા બનાવી તૈયારીઓ કરી લેવામાં આવી છે સાંજે ૭:૦૦ વાગ્‍યે પ્રણામી સ્‍કૂલના ગ્રાઉન્‍ડમાં રાવણ દહન નો કાર્યક્રમ કરવામાં આવશે જેના માટેની તૈયારીનો આખરી ઓપ અપાય ચૂકયો છે. (તસવીરો કિંજલ કારસરીયા,જામનગર)

(1:30 pm IST)