Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સાંદિપની ગૌરવ પુરસ્‍કાર એનાયત

 પોરબંદરઃ શ્રી સાંદિપની આશ્રમ ખાતે શ્રી શારદીય નવરાત્ર અનુષ્‍ઠાન અંતર્ગત જુદા જુદા ક્ષેત્રમાં સેવાલક્ષી કામગીરી કરનાર શ્રેષ્‍ઠીઓને સાંદિપની ગૌરવ પુરસ્‍કાર એનાયત કરવામાં આવ્‍યા હતા. જેના ભાગરૂપે ભાગવતાચાર્યશ્રી રમેશભાઇ ઓઝા, સંસદીય બાબતો અને સાંસ્‍કૃતિક કેન્‍દ્રીય રાજયમંત્રી અર્જુન રામ મેઘવાલ સહિત મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં જુદા જુદા ક્ષેત્રમાં સેવાલક્ષી કાર્ય કરનાર ચાર અગ્રણીઓનેશ્રી સાંદીપની ગૌરવ પુરસ્‍કાર એનાયત કરવામાં આવ્‍યા હતા. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મંત્રી અર્જુન રામ મેઘવાલે સાંદિપની મંદિર ખાતે હાજરી આપી ને ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાના આશીર્વાદ મેળવ્‍યા હતા. ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાએ, તથા મંત્રીશ્રીએ ચાર સમાજસેવકોને પુરસ્‍કાર એનાયત કરી શુભેચ્‍છાઓ પાઠવી હતી. જેમાં પદ્મશ્રી પરસ્‍કાર વિજેતા ચેન્નાઇનાશ્રી બંસીલાલ રાઠીને રાજર્ષિવર્ય એવોર્ડ, વ્રજ ગોકુલના શ્રી રમેશબાબાજી મહારાજને દેવર્ષિ પુરસ્‍કાર, બેંગલુરૂના આચાર્યશ્રી રામચંદ્ર ભટ્ટને બ્રહ્મર્ષી એવોર્ડ, બારડોલી, સુરતના નિરંજનના બહેનને મહર્ષિ અવોર્ડ એનાયત કરવામાં આવ્‍યા હતા. એવોર્ડ વિતરણ સમારંભની તસ્‍વીરો. (તસ્‍વીરો અને અહેવાલઃ પરેશ પારેખ, પોરબંદર)

(1:24 pm IST)