Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

હું ક્‍યાંય જવાનો નથી, કોંગ્રેસ છોડવાનો પ્રશ્ન જ નથી : ધારાસભ્‍ય ભીખાભાઇ જોશી

ભાજપમાં જોડાવવાની બાબતને નકારતા જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્‍ય

જૂનાગઢ તા. ૫ : હું ક્‍યાંય જવાનો નથી, કોંગ્રેસ છોડવાનો પ્રશ્ન જ નથી તેમ જૂનાગઢના કોંગી ધારાસભ્‍ય ભીખાભાઇ જોશીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું.

વિધાનસભાની વિસાવદર બેઠકના કોંગી ધારાસભ્‍ય હર્ષદ રિબડીયાએ ગઇકાલે કોંગ્રેસને અલવિદા કરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

દરમિયાન જૂનાગઢ બેઠકના કોંગી ધારાસભ્‍ય ભીખાભાઇ જોશી પણ ભાજપમાં જોડાવવાની ચર્ચાએ જોર પકડયું છે.

જો કે, એમએલએ ભીખાભાઇ જોશીએ આજે સવારે અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં તેમના ભાજપમાં જોડાવવાની વાત અફવા હોવાનું જણાવ્‍યું હતું.

શ્રી જોશીએ વધુમાં જણાવ્‍યું હતું કે, હું ક્‍યાંય જવાનો નથી અને મતદારોના વિશ્વાસનો દ્રોહ કરીશ નહિ એટલું જ નહિ મારા માટે કોંગ્રેસ છોડવાનો કોઇ પ્રશ્ન જ નથી.

(1:21 pm IST)