Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

મોરબી પાસે લેબર કવાર્ટરમાં રાહુલ મુનીયાનો ગળેફાંસો ખાઇ આપઘાત

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી ,તા. ૫ : મોરબીમાં એક આશાસ્પદ યુવકે અગમ્ય કારણો સર લગધીરપુર રોડ પર આવેલ કવાટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતા  કરી લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર લગધીરપુર રોડ પર આવેલ કેવલ મિનરલ્સ લેબર કવાટરમાં ૨૪ વર્ષીય રાહુલભાઇ મેઘાભાઇ મુનીયાએ ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું હતું. જેને પગલે તેને સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.   મૂળ મેધપર ગામના રહેવાસી અને હાલ પાડા પુલ નીચે ઝુપડા રહેતા ૩૫ વર્ષીય ગૌરીબેન ભરતભાઇ જખાણીયા મોડી રાત્રીના ઊંઘી ગયા બાદ સવારે ભરતભાઈએ જગડતા જાગેલ ના હોય જેથી તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોકટરે મૃતજાહેર કર્યા હતા અને તેનું હૃદયરોગના હુમલાના કારણે મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતો તો આ અંગે તેના પતિએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:01 pm IST)