Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જામકંડોરણાનાં દડવીમાં ર ગાયનું મારણ કરનાર સિંહ પાંજરે પુરાયો

જામકંડોરણાના દડવી ગામે ગત રાત્રે સિંહે બે ગાયોનું મારણ કરેલ ઉપરની તસ્‍વીર મૃતક ગાય ઉપર પંજાના નિશાન નીચેની તસ્‍વીરમાં સિંહના પંજાના નિશાન (તસ્‍વીર : મનસુખ બાલધા)
(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. પ : તાલુકાના દડવી ગામે  સોમવારે રાત્રે સિંહે દડવી ગામના રહીમભાઇ લાખાભાઇ ડેલાના ખેતરમાં બાંધેલ બે ગાયોનું મારણ કર્યુ હતું. વાડીના માલીકને સવારે ખેતરે જતા ખબર પડતા તેને વન વિભાગને જાણ કરતા ફોરેસ્‍ટ સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી ગયો હતો અને લોકોને સાવચેત રહેવા જાણ કરવામાં આવી હતી. આ સિંહે પહેલા જેતપુર તેમજ ગોંડલ પંથકમાં દેખા દીધી હતી. બાદમાં જામકંડોરણા પંથકમાં દડવી ગામે સોમવારે રાત્રે બે ગાયોનું મારણ કરતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો વન વિભાગ દ્વારા બનાવના સ્‍થળે પાંજરૂં મુકવામાં આવ્‍યું હતું એવું માનવામાં આવે છે કે સિંહ જે જગ્‍યાએ મારણ કરે છે એ જગ્‍યાએ મારણ જયાં પડયું હોય ત્‍યાં ફરી અચૂક આવે છે અને તેમજ બન્‍યું ગત રાત્રે જેતપુર, ગોંડલ, જામકંડોરણાના વન વિભાગના અધિકારીઓ તેમજ સ્‍ટાફ દ્વારા આ કાર્યવાહી કરતા ગત રાત્રે સિંહ અહીંથી આખરે પાંજરે પુરાઇ જતાં તેને જૂનાગઢ સકકરબાગ મોકલી દેવામાં આવેલ છે.

 

(10:54 am IST)