Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

જૂનાગઢ તથા ગિર સોમનાથ જિલ્લા બક્ષીપંચ આશ્રમશાળા સંઘ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

જૂનાગઢ તા.૧૪, જૂનાગઢ તથા ગિર સોમનાથ જિલ્લા બક્ષીપંચ આશ્રમશાળા સંદ્ય દ્વારા અભીવાદન સમારોહ યોજાયો હતો. આ તકે મત્સ્યોદ્યોગ અને પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ આ સમારોહને દિપપ્રાગટ્યથી ખુલ્લો મુકયો હતો આ તકે અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત ભવનાથ તિર્થક્ષેત્રનાં સંતશ્રી શેરનાથબાપુએ પ્રાસંગિક વકતવ્યમાં મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા અને નવનિયુકત જૂનાગઢના મેયરશ્રી ધિરૂભાઇ ગોહીલનાં અભિવાદન સંદર્ભે આશિર્વચન પાઠવતા હતા. અગ્રણી કેળવણીકાર જેઠાભાઇ પાનેરા, રામભાઇ વાળા, કૃષ્ણકુમાર મકવાણા સહિત નગરનાં બક્ષીપંચ આશ્રમશાળા સંધનાં હોદેદારોએ મંત્રીશ્રી અને મેયરશ્રીના અભિવાદનમાં જોડાઇ પોતાનાં વિચારો રજુ કર્યા હતા. આ તકે વિવિધ શૈક્ષણીક ક્ષેત્રનાં અગ્રણીઓ,  કેળવણીકારો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

(1:06 pm IST)