Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ભાવનગરમાં સ્વાઇન ફલુએ વધુ ૧નો ભોગ લીધો : મૃત્યુઆંક ૮

 ભાવનગર, તા. પ :  ભાવનગરમાં સ્વાઇનફલુથી વધુ એકનું મોત નિપજતા સ્વાઇનફલુથી મૃત્યુઆંક ૮ (આઠ) થયો છે. જયારે કુલ ૩ર પોઝીટીવ કેસ નોંધાયા છે. હાલમાં ૧૩ દર્દીઓ સારવારમાં છે.

મળતી વિગતો મુજબ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સ્વાઇનફલુમાં દર્દી તરીકે સારવાર લઇ રહેલા શહેરનાં આનંદનગર વિસ્તારમાં રહેતા પ૯ વર્ષનાં વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે. આ સાથે સરકારી હોસ્પિટલમાં આ સાતમુ અને જીલ્લાનું આઠમું મોત છે. અત્યાર સુધી ભાવનગરમાં ૩ર પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં હાલમાં કુલ ૧૩ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

(11:42 am IST)