Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ભાવનગર જીલ્લામાં અડધાથી ર ઇંચ વરસાદ : તણાઇ જવાથી ૪ ભેંસના મોત

બોર તળાવમાં વધુ ર ફૂટ પાણીની આવક

ભાવનગર, તા. પ :  ભાવનગરનાં બોરતળાવમાં બે ફૂટ પાણીથી આવક થતા સપાટી ૩ર.ર ફૂટે પહોંચી છે.

શહેરનાં બોરતળાવ (ગૌરી શંકર સરોવર)માં વધુ બે ફૂટ પાણી આવતા તેની સપાટી વધી ૩ર.ર ફૂટે પહોંચી છે. જયારે ખોડીયાર તળાવમાં અર્ધા ફૂટની આવક થતા તેની સપાટી વધીને ૧૮.૭ ફૂટે પહોંચી છે.

શેત્રુજીડેમની સપાટી ર૩.૪ ફૂટ યથાવત રહી છે.

ભાવનગર જીલ્લામાં વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે. જીલ્લામાં સર્વત્ર હળવા ભારે ઝાપટાથી લઇ અર્ધાથી બે ઇંચ વરસાદ પડ્યો છે.

જેસર તાલુકાનાં તાતણીયા ગામે નદીમાં પુર આવતાં ચાર ભેંસના મોત નિપજયા છે જયારે નદીમાં તણાતા યુવાનનો જીવન બચાવવામાં ગ્રામ્યજનો સફળ રહ્યા હતા.

(11:48 am IST)