Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મોરબી ABVP દ્વારા સ્વતંત્રતા દિવસ ૧૫ મી ઓગષ્ટની ૧૦૦ ગામોમાં ઉજવણી કરાશે

વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, આદર ભાવના જાગે તે હેતુસર આ અભિયાન શરૂ કરાશે

મોરબી : મોરબી જિલ્લામાં ૧૦૦ થી વધુ ગામોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘સ્વરાજ ૭૫' અંતર્ગત ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવશે
 મોરબી ‘સ્વરાજ ૭૫'ને લઈને ABVP દ્વારા પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. જેમાં તેમનો સંકલ્પ એવો છે કે, મોરબી જિલ્લાના ૧૦૦ કરતા પણ વધુ ગામડાઓમાં જઈને ૧૫ મી ઓગસ્ટના રોજ ધ્વજવંદનના કાર્યક્રમો યોજશે. ઉપરાંત, નગરમંત્રી સંદીપસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ અભિયાનને વધુ વેગ આપવા માટે વિદ્યાર્થીઓ જ્યાં વસવાટ કરે છે, જે ગામમાં હોય ત્યાંથી ધ્વજવંદન કરી શકે છે. તેમજ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, આદર ભાવના જાગે તે હેતુસર આ અભિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શરૂ કરવા જઈ રહ્યું છે.

(7:18 pm IST)