Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

છોટા કાશી જામનગરમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર શિલાન્યાસ નિમિતે દિવાળી જેવો માહોલ

જામનગરઃ છોટી કાશી ગણાતા જામનગરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ પૂર્વે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો જામનગર શહેરના વિશ્વ વિખ્યાત બાલાહનુમાનજી મંદિર અને પંચેશ્વર ટાવર પાસે આવેલ લોહાણા મહાજનવાડી નજીકનું રામ મંદિર અને શહેર ભાજપ કાર્યાલય ખાતે રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રંગોળી અને જયશ્રી રામના નારાઓ પણ લગાવામાં આવી રહ્યા છે. (અહેવાલઃ મુકંુદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(2:43 pm IST)