Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ઉપલેટા માર્કેટીંગ યાર્ડ કાલથી બંધ રહેશે : જન્માષ્ટમી નિમિતે 12 દિવસની રજા : જણસીની આવક બંધ કરાઈ

ખેડૂતોને માલ ન લઈ આવવા અપીલ: 18મીથી યાર્ડની હરાજી રાબેતા મુજબ શરૂ કરી દેવાશે

ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં જન્માષ્ટમી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલથી રજા રાખવામાં આવશે જેથી ખેડુતોને માલ ન લઈ આવવા અપીલ કરાઈ છે. આ અંગે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી રાજભાઈ ઘોડાસરાની યાદીમાં જણાવેલ છે કે આગામી જન્માષ્ટમી નિમિતે તા. ૬-૮ થી ૧૮-૮ સુધી માર્કેટીંગ યાર્ડમા જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. જેથી દરેક ખેડુતો એજન્ટ વેપારીઓને માલ યાર્ડ ખાતે ન લઈ આવવા વિનંતી કરાઈ છે. આજથી તમામ જણસીની આવક બંધ કરી દેવામાં આવશે. તા.૧૮.૮ને મંગળવારથી યાર્ડની હરાજી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે જેની ખેડુતભાઈઓ વેપારીઓએ નોંધ લેવી.

(1:22 pm IST)