Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જુનાગઢ જિલ્લામાં કોરોનાના કુલ કેસ ૯૮૯ અને મૃતાંક ૪૮ થયો

મૃત્યુઆંક અને કેસ વધતાં ચિંતા

જુનાગઢ તા.પ : જુનાગઢ જિલ્લામાં કોરોનાના કેસ વધીને ૯૮૯ અને મૃતાંક ૪૮ થયેલ છે.

જિલ્લામાં ગઇકાલે ૩૧ નવા પોઝીટીવ કેસ નોંધાયા છતાં જેના પગલે કેસ ૯૮૯ થયા છે. જેમાં મંગળવારે જુનાગઢ સીટીના ૧૭ કેસ છે.

તેમજ ગઇકાલે કુલ પાંચ મૃત્યુ થયા હતા. જેમાં જુનાગઢ સીટીના ત્રણ તેમજ વંથલી ભેંસાણ તાલુકામાં એક એક દર્દીનો સમાવેશ થાય છે.

આમ જુનાગઢ જિલ્લામાં પોઝીટીવ કેસ વધવાની સાથે મૃત્યુંઆંકમાં પણ વધારો થયો છે. 

(12:55 pm IST)