Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

મોરબીમાં વધુ પાંચ અને વાંકાનેરમાં કોરોનાના બે કેસઃ કુલ કેસ ૩૯૦

વધુ ચાર દર્દીના મોત થયા : ૨૦ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા

મોરબી,તા.૫: મોરબી શહેરમાં વધુ પાંચ કેસ અને વાંકાનેર શહેરમાં બે કેસ સહીત મોરબી જીલ્લામાં આજે વધુ સાત કેસો નોંધાયા છે તો મંગળવારે ચાર દર્દીના મૃત્યુ થયા છે તો વધુ ૨૦ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે

મોરબી જીલ્લાના કેસોમાં વાંકાનેર શહેરના વિવેકાનંદ સોસાયટીના ૬૫ વર્ષના પુરુષ અને અમરનાથ સોસાયટીના ૮૦ વર્ષના પુરુષ તેમજ મોરબી શહેરના સત્યમપાન વાળી શેરીના ૭૫ વર્ષના પુરુષ, ગ્રીન ચોકમાં ૫૦ વર્ષના મહિલા, પ્રાણનગર ૨ રવાપર રોડના ૨૦ વર્ષના પુરૂષ, માળીયા વનાળીયા સોસાયટી સો ઓરડીના ૬૦ વર્ષના મહિલા અને હાઉસિંગ બોર્ડ શનાળા રોડના ૫૫ વર્ષના મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે

મંગળવારે વધુ ચાર દર્દીના મોત થયા છે જેમાં હળવદના બે, ટંકારા અને મોરબીના ૧-૧ દર્દીના કોરોનાને પગલે મોત થયા છે તો વધુ ૨૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે નવા સાત કેસો સાથે કુલ કેસનો આંક ૩૯૦ થયો છે જેમાં ૧૨૩ એકટીવ કેસ, ૨૩૬ દર્દીઓ સ્વસ્થ થયા છે તો કુલ ૩૧ દર્દીના મોત થયા છે.(

(11:43 am IST)