Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

માળીયા હાઇવે પર અજાણ્યા વાહન સાથે અથડાતા આઇસરના ચાલકનું મોત

મોરબી,તા.૫: માળિયા હાઈવે પરથી જતા આઈસરની ટક્કર અજાણ્યા વાહન સાથે થઇ હોય જે અકસ્માતમાં આઈસર ચાલક નું મોત થયું છે.

અમદાવાદના રહેવાસી રાજેન્દ્ર શંકરલાલ માંડ્યાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આઈસર જીજે ૧૮ બીટી ૦૨૫૦ ના ચાલક અનીલકુમાર શ્રીરામલલક પાલ રહે અમદાવાદ વાળો આઈસર લઈને માળીયા હાઈવે પરથી જતો હોય ત્યારે અજાણ્યા વાહન પાછળ ભટકાડી શરીરે ગંભીર ઈજા થતા મોત થયું છે માળિયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(11:42 am IST)