Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે શ્રીરામ ભગવાનની મહાઆરતી

જુનાગઢ : આજરોજ જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન થવા જઇ રહ્યું છે ત્યારે સાધુ - સંતો આ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં જામજોધપુરના ધુનડા સતપુરણ ધામ આશ્રમ ખાતે પૂ. જેન્તીરામબાપાના સાનિધ્યમાં ભગવાન શ્રીરામની મહાઆરતી પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપરોકત તસ્વીરમાં ભગવાન શ્રીરામની સત્સંગ હોલમાં મહાઆરતી કરતા પૂ. જેન્તીરામબાપા, પૂ. મુકતામાં અને પરિવારજનો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:36 am IST)