Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જૂનાગઢઃ આહિર સમાજના ખીમજીભાઈએ જન્‍મ દિને અંગદાનનો કર્યો સંકલ્‍પ

જૂનાગઢ,તા.૫: મુળ તાલાલા તાલુકાનાં ઉમરેઠી ગામનાં વતની અને જૂનાગઢમાં સ્‍થાયી થયેલા આહિર સમાજનાં અગ્રણી અને યુવા નેતા ખીમજીભાઇ લખમણભાઇ રામનો આજે જન્‍મ દિવસ છે. ખીમજીભાઇએ પોતાનાં જન્‍મ દિવસે અંગદાનનો  સંકલ્‍પ કર્યો છે. આજસુધીમાં ખીમજીભાઇએ ૫૪ વખત રક્‍તદાન કર્યું છે. બહારગામથી આવતા દર્દીઓ માટે રક્‍તદાન માટે મદદ કરે છે. ખીમજીભાઇ રામ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનાં સ્‍વયંસેવક છે. સંઘમાં પ્રચારક પણ રહ્યાં હતાં. ભાજપમાં જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી તરીકે કામગીરી કરી હતી.ભાજપનાં સક્રિય કાર્યકર્તા છે. તેમના જન્‍મદિન નિમિત્તે તેમનાં શુભેચ્‍છકો મો.૯૮૯૮૦ ૪૦૪૪૪ ઉપર શુભેચ્‍છા પાડવી રહ્યાં છે.

(1:46 pm IST)