Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પરબ ધામ અષાઢી બીજ મહોત્‍સવમાં પુ.રમેશભાઇ ઓઝા સહીતના સંતોની પ્રેરક ઉપસ્‍થિતિમાં સંપન્ન

જુનાગઢ નજીક આવેલ ભેંસાણના પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્‍સવની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. જેમાં અષાઢી  બીજના દિવસે વિશ્વ વંદનીય સંત ભાગવતાચાર્ય પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા ખાસ ઉપસ્‍થિત રહી દર્શનનો લાભ લીધો હતો અને આ જગ્‍યાનો ઇતિહાસ પુ.કરશનદાસ બાપુ પાસેથી જાણી રાજીપો વ્‍યકત કર્યો  હતો અને દેવીદાસ બાપુ અને અમરમાંની સમાધીએ શીશ નમાવી ધન્‍યતા અનુભવી હતી. ઉપરોકત તસ્‍વીરમાં પુ. ભાઇશ્રીનું ફુલહાર પહેરાવી સન્‍માન કરતા પુ.કરશનદાસ બાપુ તેમજ સભામાં પરબના પીરના જય ઘોષ કરાવતા પુ.ભાઇશ્રી સાથે મુ.મુકતાનંદ બાપુ પુ.શેરનાથ બાપુ  પુ. વિજય બાપુ  સહીતના નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:45 pm IST)