Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જૂનાગઢ જિલ્લામાં કેશોદના અગતરાયથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો સાંજે પ્રારંભ થશે

વંદે ગુજરાત - ૨૦ વર્ષનો સાથ... ૨૦ વર્ષનો વિશ્વાસ : જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા વંદે ગુજરાત વિકાસ યાત્રાને ફ્‌લેગઓફ આપી શુભારંભ કરાવશેઃ રાજ્‍ય સરકારની જનકલ્‍યાણકારી યોજનાઓના લાભોનું કરાશે વિતરણ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૫:  જૂનાગઢ જિલ્લામાં  કેશોદના અગતરાયથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો તા.૦૫-૦૭-૨૦૨૨ના રોજ સાંજે ૫ કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારિયા ફ્‌લેગ આપી શુભારંભ કરાવશે.

અગતરાય ખાતે આયોજિત આ કાર્યક્રમના માધ્‍યમથી રાજ્‍ય સરકારની ૨૦ વર્ષની સિદ્ધિઓ જન-જન સુધી પહોંચાડવાનું સાથે કેન્‍દ્ર -રાજ્‍ય સરકારની જનકલ્‍યાણકારી યોજનાઓના લાભોનું પણ વિતરણ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, વંદે ગુજરાત વિકાસ યાત્રા તા.૫ જુલાઇ થી તા.૧૯ જુલાઈ દરમિયાન જિલ્લાના ૬૭ ગામમાં ફરી વળશે. આ યાત્રા દરમિયાન વિવિધ વિકાસના કામોનું  ખાતમૂર્હત, લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત રાજય સરકારના જુદા જુદા વિભાગની પ્રજાલક્ષી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવાની સાથે લાભાર્થીઓને  જુદી જુદી યોજનાઓ હેઠળની સહાય લાભોનું વિતરણ કરવામાં આવશે.

(1:45 pm IST)