Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સુરેન્‍દ્રનગરની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ પુસ્‍તક વિહોણા

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ, તા. ૫ : રાજ્‍યમાં હાલ શાળામાં નવું સત્ર  ચાલુ થતાં સરકાર દ્વારા પ્રવેશોત્‍સવ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે તેવામાં ધોરણ ૧-૨ના ભૂલકાઓ શાળામાં ભણવા માટે તૈયાર થઈ ગયા છે. પરંતુ સરકારી પ્રાથમિક શાળામાં પાઠયપુસ્‍તકની અછતના લીધે બાળકો પુસ્‍તક વગરના થયા છે. સ્‍કૂલો શરૂ થઇ ગઈ હોવા છતાં સુરેન્‍દ્રનગર અને કચ્‍છમાં વિદ્યાર્થીઓને પાઠયપુસ્‍તકો મળ્‍યાં નથી.  જિલ્લામાં ધોરણ-૧ થી ૮ સુધીના પાઠયપુસ્‍તકો પૂરતા પ્રમાણમાં નહીં મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર થવાની શકયતાઓ જોવા મળી રહી છે.

જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા ઝડપથી પાઠયપુસ્‍તક મળી રહે તે હેતુસર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં  હજુ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના પાઠયપુસ્‍તક પૂરતા પ્રમાણમાં નહીં આપતા વિદ્યાર્થીઓના શિક્ષણ ભવિષ્‍ય ઉપર અસર થાય તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે.

(12:02 pm IST)