Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

વિરપુરના ગાદિપતિ રઘુરામ બાપાએ પરિવાર સાથે સોમેશ્વર મહાદેવનું મહાપૂજન કર્યું

પ્રભાસ પાટણ : વિરપુરના ગાદિપતિ શ્રી રઘુરામ બાપા પરીવાર સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલ હતા, સોમનાથ તિર્થના સર્વાંગી વિકાસ તથા ભવ્‍યતા જોઇ તેઓએ ખુશી વ્‍યક્‍ત કરેલ હતી, નુતન શરૂ થયેલ સોમેશ્વર મહાપુજનનો પરિવાર સાથે લાભ લઇ ધન્‍ય બન્‍યા હતા. સાથે જ આ પ્રસંગે સોમનાથ મંદિર પરિસરમાં જનરલ મેનેજરશ્રી દ્વારા સ્‍મૃતિ ભેટ આપી તેઓનુ સ્‍વાગત સન્‍માન કરવામાં આવેલ હતુ. (તસ્‍વીર-અહેવાલ : દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(10:14 am IST)