Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

સુરેન્દ્રનગર શહેર પાસેથી પસાર થતી ભોગવો નદીમાં પોપટપરા વિસ્તારના પાછળના આવેલા  કાચા રસ્તા પાસે ગુરૂવારે સાંજના સમયે એક અજાણ્યા યુવાનની લાશ નદીના પાણીમાં તરતી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં જોરાવનગર પીએસઆઇ એસ. એસ. વરૂ સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. અને લાશને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવી હતી. મૃતક યુવાન અંદાજે રપ થી ૩૦ વર્ષની ઉમરનો હોવાનો અંદાજ છે જયારે તેની પાસેથી ઓળખ મળે તેવા કાંઇ પુરાવાઓ મળ્યા ન હતાં. માત્ર તેના ખીસ્સામાંથી રૂપિયા ૧૧૦ મળી આવ્યા હતાં. પોલીસે બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો તે અંગે વધુ વિગતો મેળવવા માટે લાશનું પીએમ પેનલ ડોકટરોની ટીમ દ્વારા કરાવવાની કાર્યવાહી હાથ ધરી મૃતક યુવાનની ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ સુરેન્દ્રનગર)

(1:17 pm IST)