Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

માળીયામિંયાણાનાં વેણાસરમાં બંદુકના ભડાકે નીલગાયનો શિકાર : ૩ ઝડપાયા

 તા. પ : માળિયા તાલુકાના વેણાંસર ગામે નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની ધટના પ્રકાશમાં આવી છે ધટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગ દોડી ગયું હતું અને નીલગાયના મૃતદેહને પી.એમ માટે ખસેડીને શંકાના આધારે ૩ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

બનાવની મળતી વિગત મુજબ માળિયા તાલુકાના વેણાંસર ગામે ગઈકાલે સાંજના સુમારે નીલગાયનો શિકાર કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને ધટનાની જાણ થતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા બાદમાં ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગના અનિલભાઈ, એન.જે. ચૌહાણ અને જનકસિંહ સહિતનો સ્ટાફ વેણાંસર ગામે દોડી ગયો હતો નીલગાયના મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો તેમજ પાંચ શખ્સો દ્વારા દેશી બંદુક વડે ગોળી મારીને નીલગાયની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનું ફોરેસ્ટ વિભાગની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.આ સમગ્ર ધટનામાં ગ્રામજનોની સતર્કતાથી વન વિભાગે શંકાના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડીને કોર્ટમાં રજુ કરશે તો હજુ પણ બે આરોપીઓની સંડોવણી હોવાની શકયતાને હોય જેથી ફોરેસ્ટ વિભાગે પાંચ શખ્સો સામે પ્રાણી સરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

(11:46 am IST)