Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભાવનગર જે.કે.સરવૈયા કોલેજ ખાતે B.S.W./M.S.W. દ્વારા નિર્માણ કેન્દ્ર અંતર્ગત પુસ્તક પ્રદર્શન યોજાયું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.સંલગ્ન જે.કે.સરવૈયા કોલેજ ખાતે B.S.W./M.S.W. વિદ્યાર્થીઓ માટે ''પુસ્તક વાંચવાની કળા'' વિષય અંતર્ગત એક દિવસીય કાર્યશાળા ''નિર્માણ કેન્દ્ર'' અંતર્ગત પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ સમાજકાર્ય અને વિષય આનુષાંગીક પુસ્તકોની માહિતી મેળવી વાંચન કઇ રીતે કરવું? તેની પ્રાથમીક સમજ કેળવી હતી.આ સમગ્ર કાર્યક્રમને સરળ બનાવવામાં કોલેજના પ્રિન્સિપાલ બિપીન ચૌધરી અને ફેકલ્ટીના અધ્યાપકઓએ વ્યવસ્થા કરેલ.  કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેનેજીંગ ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયાએ શુભેચ્છા પાઠવી હતી.

(11:43 am IST)