Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ભાવનગરના પીંગળી નજીક માછીમારી કરવા ગયેલ બાળકનું ડૂબી જવાથી મોત

ભાવનગર, તા.૫: પ્રથમ વરસાદેજ તળાજા ના પીંગળી ગામ.નજીક આવેલ ડેમમા માછલી મારવા માટે બે ભાઈઓ બપોરે ગયા હતા.જેમાં એક નું ડૂબી જવાથી મોત નિપજેલ.

બનાવ અનુસંધાને મામલતદાર કનોજીયા તથા તળાજા પોલીસ જવાન અશ્વિન દિહોરા પાસેથી મળતી વિગતો મુજબ દિહોર ગામની વાડીઓમાં ખેત મજુરી કરતા દે.પૂ પરિવાર ના બે બાળકો નજીકમાં આવેલ ડેમ ખાતે માછલી મારવા ગયા હતા. બન્ને ભાઈઙ્ગ હોડી મા બેઠને અચાનક જોરદાર પવન ફૂંકાતા હોડી ચાલવા લાગતા મોટાભાઈ આશિષ બાલાભાઈ ઉવ.૧૪ એ હોડીમાથી ઠેકડો મારતા ઊંડા પાણી મા ગરકાવ થયેલ.

મામલતદાર, ટીડીઓ, પોલીસ અને તારવૈયાની ટિમો દ્વારા ગરકાવ બાળકને ત્રણેક કલાકની જહેમત બાદ બાળકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે શબને તળાજા લાવી પી.એમ કરાવવા સહિતની કામગીરી કરી હતી.

(11:31 am IST)