Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

જસદણ-વિંછીયા પંથકના સુન્ની મુસ્લિમ બિરાદરોએ ઇદની ઉજવણી કરીઃ વિશેષ નમાઝ અદા

જસદણ તા. પ :.. પવીત્ર રમઝાન માસના અંતે આવતી ઇદ-ઉલ-ફિત્રની આજે વહેલી સવારે જસદણ - આટકોટ - વિંછીયા, ભાડલા પંથકમાં ઇદની વિશેષ નમાઝ અદા કરી બહોળી સંખ્યામાં સુન્ની મુસ્લિમ બીરાદરોએ અલ્લાહનો આભાર માનેલ હતો.

ગત છેલ્લા એક માસથી ધોમધખતા તાપમાં મુસ્લિમ સમાજએ આકરા રોઝા કરી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. અને પોતાની કમાણીમાંથી પવિત્ર ધર્મગ્રંથ કુઆર્ન શરીફના આદેશ મુજબ યથા શકિત ગરીબોને દાન કરેલ હતું.

ઇદના દિવસે પાક અને નવા વસ્ત્રો ધારણ કરી પોત પોતાની ઇદગાહોમાં જઇ ઇદની વિશેષ નમાઝ અદા કરી દેશની પ્રગતિ અંગે દુઆ કરી હતી. આ અવસરે પત્રકાર હુસામુદીન કપાસી, હિતેશ ગોંસાઇ, ગજેન્દ્રભાઇ રામાણી સહિતનાઓએ આ પવિત્ર દિવસે ઇદની ખાસ મુબારક બાદી પાઠવી છે.

(11:55 am IST)