Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

જામનગરમાં કોરોનાના વધુ ૭૨૮ કેસ પોઝિટિવ આવ્યાઃ ૧૧ દર્દીના મોત

(વિનોદ ગાલા દ્વારા) જામનગર, તા.૫: જિલ્લામાં કાલે પણ ૨૪ કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો ૭૦૦ ને પાર જ રહ્યો છે. કાલે મંગળવારે જામનગર શહેરમાં ૩૯૭ અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ૩૩૧ પોઝિટિવ કેસો નોંધાતા જિલ્લા માં કુલ નવા ૭૨૮ કેસો સામે આવ્યા છે. જામનગર શહેરમાં ૩૦૧ દર્દીઓ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૮૩ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ પણ થયા છે. કાલે જામનગર શહેરમાં ૭ મોત અને ગ્રામ્યમાં ૪ સતાવાર જાહેર થયાં છે.

(11:15 am IST)