Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જુના અને નવા બસ સ્ટેશન સેનેટાઈઝ કરાયું.

મોરબી : કોરોના મહામારીના સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના નવા અને જુના બસ સ્ટેન્ડને સંપૂર્ણ સેનેટાઈઝ કર્યા હતા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા મોરબીના નવા બસ સ્ટેશન અને જુના બસ સ્ટેશનને સંપૂર્ણ સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા જે સેવા કાર્યમાં આરએસએસના સ્વયંસેવકો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો જોડાયા હતા બંને બસ સ્ટેશનના તમામ એરિયા ઉપરાંત બસોને પણ સેનેટાઈઝ કરવામાં આવી હતી ઉપરાંત આગામી દિવસોમાં જાહેર સ્થળોએ સેનેટાઈઝેશન કાર્ય નિયમિત થતું રહેશે તેમ સંઘની યાદી જણાવે છે

(7:14 pm IST)