Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

પોરબંદરથી વૈષ્ણવદેવી ગયેલ મહિલા અને શહેરમાં એક વૃધ્ધા બંનેના કોરોનાથી મૃત્યુ થયાની શંકા

કોરોનાથી બંને મહિલાના મૃત્યુની સરકારી હોસ્પિટલમાં નોંધ નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૫: રાજયમાં કોરોનાના કેસ વધતા જાય છે, પોરબંદરમાં શનિવારે કોરોનાના ૩ પોઝીટીવ કેસ આવ્યા હતાં ત્યારે શહેરમાં અઠવાડિયામાં ૨ મહિલાઓના કોરોનાથી મૃત્યુ થયાની શંકા સેવાય રહી છે, સરકારી હોસ્પિટલમાં આ બંને મહિલાઓના કોરોનાથી મૃત્યુ થયાની સત્તાવાર નોંધ નથી. બંને મહિલાના મોત કોરોનાથી થયાની ચર્ચા થઇ રહી છે.

પોરબંદરથી વૈષ્ણવદેવીની યાત્રામાં ગયેલ એક મહિલાને કોરોનાનું સંક્રમણ લાગી જતા તેમનું વૈષ્ણવ દેવીમાં તથા શહેરમાં કોરોનાથી એક વૃધ્ધા, બંનેના મૃત્યુ થયાની ચર્ચા છે. કોરોનાથી બંને મહિલાના મૃત્યુ થયાની સરકારી હોસ્પિટલમાં સતાવાર નોંધ થઇ નથી.

(1:20 pm IST)