Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ સોમનાથ દાદાની પૂજા કરી : સોનાનો કળશ અર્પણ કર્યો

વિશ્વ કોરોના મહામારીમાંથી મુકત થાય તેવી પ્રાર્થના કરી

સોમનાથ : જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખર પર 1500 થી વધુ કળશોને સુવર્ણ મઢીત કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓને સહયોગ આપવા અપીલ કરી હતી ,અત્યાર સુધીમાં દાતાઓ તરફથી 550 કળશો માટેનું સુવર્ણ દાન દાતાઓ તરફથી નોંધવામાં આવેલ છે. દરમ્‍યાન પ્રખ્‍યાત હાસ્‍ય કલાકાર ઘીરૂભાઇ સરવૈયાએ પણ એક કળશનું દાન નોંઘાવેલ હતુ.

હાસ્‍ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાએ સોમનાથ મંદિરે આવી સુવર્ણ કળશોની સ્વહસ્‍તે પૂજા વિધિ કરી શિવના ચરણોમાં સુવર્ણ કળશ અર્પણ કરેલ હતુ. ધીરૂભાઈ સરવૈયા દ્વારા દાદા સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવી વિશ્વ કોરોના મહામારીમાંથી મુકત થાય તેવી પ્રાર્થના કરી હતી.

(10:39 pm IST)