Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ઉનાના આશાસ્પદ યુવાનનો કુવામાં ઝંપલાવીને અગમ્ય કારણથી આપઘાત

(નવીન જોષી દ્વારા) ઉના તા. પ :.. આશાસ્પદ યુવાન મનીષભાઇ બાલુભાઇ ગોહીલે ચાંચકવડનાં સરકારી કુવામાં અગમ્ય કારણસર ઝંપલાવી આપઘાત કરી લેતાં મોતને વહાલુ કરી લીધું છે.

ઉનાના મછૂન્દ્રી નદીનાં કિનારે તપોવન આશ્રમની પાછળ નદીમાં આવેલ સરકારી કુવામાં ઉનાનો મનીષભાઇ બાલુભાઇ ગોહીલ ઉ.ર૮ રે. યોગેશ્વર સોસાયટી દેલાવડા રોડ બપોર બાદ ગુમ થઇ ગયેલ હોય અને મંદિરનાં સી. સી. ટી. વી. ફુટેજમાં તેના ફુટે મળેલ અને નદી કાંઠે મોટર સાયકલ પડી હોય નદી કાંઠે આવેલ સરકારી કુવામાં પડેલ હોવાની શંકા જતાં તેના પરિવારે ઉના નગરપાલીકાના ફાયર બ્રીગેડને જાણ કરતાં સ્ટાફ (૧) અશોકભાઇ રાઠોડ (ર) જીતુભાઇ જાની (૩) વિનોદભાઇ ત્રિવેદી (૪) રોહીતભાઇ ગોહીલ ત્થા સ્ટાફે તુરંત સાધનો લઇ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આખી રાત જહેમત ઉઠાવ્યા બાદ સવારનાં લોખંડની  મિંદડીમાં તેનો મૃતદેહ ભરાઇ જતાં ઉપર લાવી અંદર ખાટલો ઉતારી બહાર કાઢેલ હતો અને તુરંત સરકારી હોસ્પીટલે લઇ જતાં ડોકટરે પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું જાહેર કરેલ હતું.

ઉના પોલીસમાં તેમના પતિ બાબુભાઇ મુળજીભાઇ ગોહીલે એ. ડી. નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર ડી. એલ. ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે. અને આ મૃતક યુવાનનાં ખીસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ નીકળી છે. અને આર્થિક મુશ્કેલીમાં હોય નાણાકીય તંગીમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. ચોકકસ કારણ બહાર આવ્યું નથી. મૃતકના લગ્ન થઇ ગયેલ છે. એક દિકરી અને પત્ની ત્થા માતા-પિતાને નોધારા મુકી જતાં શોક વ્યાપી ગયેલ હતો.

(12:01 pm IST)