Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

જેતલસર પંથકના આરબટીંબડીના આધેડને સ્વાઇન ફલુ ભરખી જતા અરેરાટી

જેતલસર તા. ૫ : જેતલસર પંથકના આરબટીંબડીના ખેડૂત આધેડનું આજે રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થતાં ગામમાં શોક છવાયો છે. બીજી બાજુ બનાવથી હરકતમાં આવેલ આરોગ્ય તંત્રના કાર્યવાહકો દોડતા થઇ ગયા છે.

જેતલસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ગ્રિસ્માબેન અઘેરા, ડો. નિલેશભાઇ કાછડીયા તેમજ સુપરવાઇઝર બી.કે.બાલધા સહિતના આરોગ્ય સ્ટાફે જરૂરી દવાનો છંટકાવ તેમજ કાલે બુધવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આરબટીંબડી ગામે સ્વાઇન ફલૂ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે. બંને ગામોની પ્રજાએ ઉકાળાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(3:35 pm IST)