Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

મોરબીમાં વિદ્યાર્થીઓનો સેમીનાર

મોરબીઃ પાટીદાર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પાટીદાર ધામ દ્વારા પાટીદાર સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન આપવા માટે ફ્રી સેમીનાર યોજાયો હતો. સેમીનારમાં રાજકોટના રામાણી સર ઉપસ્થિત રહ્યા હતા જેમાં બિન અનામત આયોગ યોજના ઉપરાંત જીપીએસસી કલાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગામી સપ્તાહથી મોરબીમાં કલાસ શરુ કરવાનું પણ આયોજન આ સેમીનારમાં કરવામાં આવ્યું હતું પાટીદાર ધામ આયોજિત પાટીદાર સમાજ માટેના ફ્રી સેમીનારમાં જીપીએસસી ઉમેદવારો માટે કોચીન કલાસની વ્યવસ્થા, બિન અનામત આયોગ યોજના, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મળતી સહાય તેમજ સરકારની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી સેમીનારને સફળ બનાવવા પાટીદાર ધામ સંસ્થા અગ્રણી કિરીટભાઈ દેકાવાડિયા અને તેની ટીમના દરેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સેમીનાર યોજાયો તે તસ્વીર.

(3:01 pm IST)