Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

મોરબીમાં પાણી ઢોળવા બાબતે બઘડાટી :ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવા ધમકીની સામસામી ફરિયાદ

 

મોરબી:શહેરના ના ઉમિયાનગરમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી જવા પામી હતી જે અંગે બને પરિવારો સામસામી ફરિયાદ નોધાવી હતી

બનાવની મળતી વિગત મુજબ મોરબીના ઉમિયાનગરમાં રેહતા લલીતભાઈ નારયણભાઈ રાઠોડ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે તેમની શેરીમાં રેહતા ડાયાભાઇ જેઠાભાઈ પરમાર તેમજ રમેશભાઈ દલાભાઈ ને શેરીમાં પાણી ઢોરવાની નાં પાડતા બને ઉશ્કેરાય ને તેને ઢીકાપાટુંનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સામા પક્ષે ડાયાભાઈ જેઠાભાઈ પરમારે ફરિયાદ નોધાવી છે તે પોતે રીક્ષામાં મચ્છીના ફેરા કરતો હોય એટલે સવારે રીક્ષા ધોવી પડે જે બાબતે પાડોશમાં રેહતા લલિત નારયણ રાઠોડ તેને માર મારી જાનથી મારી નાખવની ધમકી આપી છે આમ પોલીસ બને પક્ષની ફરિયાદ નોધીને છે જેની વધુ તપાસ આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે

(1:24 am IST)