Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

હળવદ વેપારી મહામંડળ દ્વારા પોલીસ મથકે આવેદનપત્ર : ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા માંગ

હળવદ તા. ૫ : શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઇ વેપારી મહામંડળ દ્વારાઙ્ગ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જેથી હળવદ પોલીસ દ્વારાઙ્ગ શહેરમાં ટ્રાફિક ને લઇ એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જોકે આ ટ્રાફિકની કાર્યવાહીમાં ચોક્કસ વેપારીઓને ટાર્ગેટ કર્યા હોવાની રાવ સાથે વેપારીઓએ પોલીસ મથકે આવેદનપત્ર આપીઙ્ગ ભેદભાવ રાખ્યાં વિના ટ્રાફિકની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

પોલીસ દ્વારા શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને યોગ્ય કરવા પીઆઇ સહિતનો સ્ટાફ ટ્રાફિકને અડચણરૂપ જાહેર રસ્તા ઉપર લારી ગલ્લાઓ તેમજ વેપારીઓ દ્વારા રસ્તા પર મુકેલી જારીઓ ને દૂર કરવામાં આવી હતી જોકે આ કાર્યવાહી અમુક વેપારીઓ સામે જ કરવામાં આવી હોવાની રાવ સાથે હળવદ વેપારી મહામંડળ દ્વારા પોલીસ મથકે લેખિતમાં આવેદનપત્ર આપી ટ્રાફિકને અડચણરૂપ તમામ સામે ભેદભાવ રાખ્યા વગર યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ તકે વેપારી મંડળના પ્રમુખ વિનોદભાઈ પટેલ, ઉપ-પ્રમુખ ભીખાલાલ પટેલ, નરભેરામભાઈ અઘારા, ભરતભાઈ રબારી, પ્રકાશભાઈ પટવા, ગોપાલ ભાઈ ઠક્કર, દીપાલાલ પરીખ, વાસુદેવ ભાઈ પટેલ સહિતના વેપારીઓ હાજર રહ્યા હતા

શહેરમાં કરવામાં આવેલ ટ્રાફિકની કાર્યવાહીને લઇને ભેદભાવ રખાતો હોવાની રાવ સાથે વેપારીઓએ પોલીસ મથકે રજૂઆત કરી હતી જોકે આ અંગે પી.આઈ સંદિપ ખાંભલાએ વેપારીઓને જણાવ્યું હતું કે  કાર્યવાહીમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રખાતો નથી છતાં જો વેપારીઓને એવું લાગતું હોય તો આવતા દિવસોમાં વેપારીઓને સાથે રાખી શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત અપાવી શું જોકે તેમાં વેપારીઓએ સાથ-સહકાર દેવાની પી.આઈ.ઙ્ગ ખાંભલા ને ખાતરી આપી હતી.

(11:37 am IST)