Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

સોમનાથ ભાલકા તિર્થમાં દશમ સ્કંધ કથાની પુર્ણાહુતી

 વેરાવળ-પ્રભાસ પાટણઃ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં ભાલકા તીર્થ ખાતે પ્રજ્ઞાચક્ષુ વકતા કૃણાલભાઇ જોષીના વ્યાસ સ્થાને દશમસ્કંધ કથા યોજાયેલ હતી. જેના વિરામનાં પ્રસંગે શ્રીકૃષ્ણ પોતાનાં સ્મરણપટ પર જે રીતે લીલાને વાગોળી રહેલ એ સમયે જરા નામક પારધીએ તીર મારેલ અને પ્રસંગની દુર્લભ અનુભૂીત કરાવી કે ભકતોનાં અશ્રુધારા વહિ આવી. કથા વિરામ સમયે મુખ્ય પૂજારી ધનંજયભાઇ દવેએ સૌ શ્રોતાજનોનો આભાર વ્યકત કરેલ.  વકતા કૃણાલભાઇ જોષીનું સન્માન શ્રી કૃષ્ણ દૃશ્ય સ્મૃતિ આપી કરવામાં આવેલ. મુખ્ય યજમાન વેજાણંદભાઇ વાળા સાથે પોથી યજમાનોને સન્માનિક  કરવામાં આવેલ. ભાગવતજીની આરતી બાદ ભાલકા મંદિર સુધી પોથીયાત્રા નિકળેલ હતી પોથીજીને ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણોમાં અર્પણ કરી સૌ ભકતોએ જયશ્રી કૃષ્ણનો નાદ કરેલ જે ભાલકા તીર્થમાં ગુંજી ઉઠેલ હતો. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(12:19 pm IST)