Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મોરબીના જલારામ મંદિરે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૪૯૪ દર્દીઓએ લાભ લીધો.

મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૪૯૪ દર્દીઓએ લાભ લીધો હતો જે પૈકી ૨૧૫ દર્દીઓના આવતીકાલે વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે કેમ્પમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુંબીયા પણ ઉપસ્થિત રહ્યા હતા
આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ,શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે આયોજન કરાય છે જે અંતર્ગત આજે વિનામૂલ્યે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનો ૪૯૪ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૨૧૫ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામા આવશે.

(12:39 pm IST)