Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મોરબીની અવની ચોકડીએ શાકભાજીની લારી રાખવા મુદ્દે દંપતીને ત્રણ શખ્શોએ માર માર્યો.

મોરબીની અવની ચોકડીએ શાકભાજીની લારી રાખવા મુદ્દે મહિલા સહિતના ત્રણ શખ્સોએ  દંપતીને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે 
મોરબીના શનાળા રોડ પર લાયન્સનગરમાં રહેતા અવની ચોકડી પાસે શાકભાજીની લારી રાખતા છાયાબેન હરેશભાઈ દેલવાડીયા (ઉ.વ.૩૫) અને તેના પતિ હરેશભાઈ દીપકભાઈ દેલવાડીયા (ઉ.વ.૩૭) નામના દંપતીને આરોપી વનીતાબેન ભીખુભાઈ વિકાણી, અરવિંદભાઈ વિકાણી અને બલીયો વિકાણી એમ ત્રણ ઇસમોએ માર માર્યો હતો જેથી દંપતીને ઈજા થતા સારવાર માટે ખસેડાયું હતું જે બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

(12:30 pm IST)