Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ધોરાજી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે પાટીલની રકતતુલા

ધોરાજી,તા. ૪ : ધોરાજી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ની રકતતુલા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે

ધોરાજીના તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા એ જણાવેલ કે ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં આવેલ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા દ્યણા વર્ષોથી અલગ-અલગ વિભાગની સેવાકીય પ્રવૃત્ત્િ। કરી રહી છે જેમાં નવરાત્રી મહોત્સવ રાહત દરે ફટાકડા વિતરણ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી હિંદુ તહેવારોની ઉજવણી પશુ રસીકરણ કેમ્પ મેડીકલ કેમ્પ વગેરે સામાજિક કાર્યક્રમો સેવાભાવથી કરી રહી છે ત્યારે હાલના સમયમાં ગરીબોને વિનામૂલ્યે બ્લડ મળી રહે તે હેતુથી રવિવારના રોજ ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સવારે ૯થી બપોરના ૨:૩૦ કલાક સુધી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક પ્રમુખ સ્વર્ગસ્થ ડી.જી બાલધા તેમજ સ્વર્ગસ્થ અલ્પેશભાઈ પેથાણી ની સમૂર્તિ માં મહારકતદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

બાદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ ની રકતતુલા સમારોહ યોજાશે આ સમારોહમાં રાજયના મંત્રી અરવિંદ ભાઈ રૈયાણી પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક જેતપુર ના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા ખાસ ઉપસ્થિત રહેશે તેમજ સંત શિરોમણી મા ધોરાજી સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી મોહનપ્રસાદદાસ પુરાણી સ્વામી

જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજય કલ્યાણમૂર્તિ સ્વામી તેમજ પૂજય સેવાનંદદાસ સ્વામી તેમજ નાનકશા ધોરાજીની જગ્યા ના મહંત ભીખુબાપુ નાનક વિગેરે સંતો ઉપસ્થિત રહેશે.

ધોરાજીની જનતાને પધારવા તેમ રાજુભાઈ બાલધા એ જણાવ્યું હતું.

(10:12 am IST)