Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

શ્રી ખોડલધામ કાગવડથી શ્રી સોમનાથ મહાદેવ સુધીની નરેશભાઈ પટેલ દ્વારા પદયાત્રાનો પ્રારંભ

વિરપુર (જલારામ) :. ખોડલધામના ચેરમેન અને શિવભકત શ્રી નરેશભાઈ પટેલ દ્વારા આજથી કાગવડ ખોડલધામ શ્રી ખોડીયાર માતાજીના સાનિધ્યમાં શ્રી સોમનાથ મહાદેવ વેરાવળ સુધીની પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સવારે શ્રી નરેશભાઈ પટેલ સાથે તેમના મિત્રો અને સંબંધીઓ પદયાત્રામાં જોડાયા હતા અને શ્રી સોમનાથ મહાદેવ ખાતે પહોંચીને શ્રી સોમનાથ મહાદેવનું પૂજન-અર્ચન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી નરેશભાઈ પટેલ છેલ્લા થોડા વર્ષોથી દર વર્ષે શ્રી સોમનાથ મહાદેવ સુધીની પદયાત્રા કરે છે. જે પરંપરા આ વર્ષે પણ તેમણે જાળવી રાખી છે. તસ્વીરમાં શ્રી નરેશભાઈ પટેલ તથા અન્ય પદયાત્રીઓ નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃ કિશન મોરબીયા-વિરપુર-(જલારામ)

(3:55 pm IST)