Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ભાવનગરના ટીંબીની સ્વામીશ્રી નિર્દોષાનંદજી

માનવ સેવા હોસ્પીટલને રૂ. રર.પ૦ લાખનું દાન

ભાવનગરઃ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પીટલ ટીંબીમાં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવા કાર્યથી પ્રભાવીત થઇને કરમસદનાં વતની અને હાલ અમદાવાદ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા-અમદાવાદના નિવૃત જનરલ મેનેજર તેમજ માનવસેવા ટ્રસ્ટ-અમદાવાદના મેનેજીંગ ટ્રસ્ટી એવા શ્રી મહેન્દ્રભાઇ જે.પટેલ (દંપતી)એ તા.૩૧-૧ર-૨૦૨૦ના રોજ આ હોસ્પીટલને રૂ.૨૨,૫૦,૦૦૦ (રૂપીયા બાવીસ લાખ પચાસ હજાર)ના અનુદાનનો ચેક અર્પણ કરેલ છે. સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી હોસ્પીટલના પ્રમુખશ્રી ધનસુખભાઇ  મેવાણી અને ઉપપ્રમુખશ્રી બી.એલ.રાજપરાએ મહેન્દ્રભાઇ જે.પટેલના નિવાસસ્થાને રૂબરૂ જઇને તેઓનો આભાર માનેલ છે. (તસ્વીરઃ અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(11:27 am IST)