Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ધોરાજીમાં પધારતા પુ.ડોકટર નિરંજન મૂનિ

ધોરાજી : શેષકાળ દરમિયાન લીંબડી સંઘના પૂ.ડોકટર નિરંજન મુનિ મહારાજ તથા પૂ.ડોકટર ચિંતનમુની મ.સા. પધારેલ હતા. લીંબડી સંઘ અને ગોંડલ સંઘના પ્રમુખ ઉપસ્થિતીમાં ધોરાજી ખાતે (અજરામર એકટીવ એસ્સાર ગૃપ)ની રચના કરવામાં આવેલ હતી. આ તકે બંને મ.સા.એ આ અંગે ગૃપને જીવદયા તથા માનવસેવાની પ્રવૃતિઓ વધારે કરવાની પ્રેરણા કરેલ અને તેના ભાગરૂપે મહારાજ સાહેબના વિહાર દરમિયાન ગૃપ દ્વારા ગાયો અને કુતરા અને સફાઇ કામદાર પરિવારો તથા ગરીબોને બિસ્કીટનું વિતરણ કરાયુ હતુ. આ તકે ડો.નિરંજનમુનિ મ.સા તથા ચેતનમુની મ.સાએ સમયાંતરે સેવાકીય પ્રવૃતિઓ કરવા આહવાન કરેલ બંને મુનિ મહારાજનું આગમન થયુ તે તસ્વીર.

(11:20 am IST)