Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

દ્વારકેશ ભવન હવેલી યોજીત ભાગવત કથાનું સમાપન

રાજકોટ : અહીંના ૧૫૦ ફુટ રીંગ રોડ મવડી રોડ ખાતે દ્વારકેશ ભવન હવેલી દ્વારા યોજાયેલ શ્રીમદ્દ ભાગવત કથાની આજે સાંજે પુર્ણાહુતી થશે. કથાના અંતિમ ચરણોમાં વ્યાસપીઠેથી શાસ્ત્રી શર્માજીએ જણાવેલ કે પૂજય અને પૂજક એક જ છે, ઉભય અન્યોન્ય પુરક છે. અહીં પૂજા કરનાર કૃષ્ણ છે અને કૃષ્ણની જ પૂજા કરવામાં આવે છે. સેવક અને સૈવ્ય એકય સાધે તો જ સેવા સાર્થક થાય. ભકિતમાં અનન્યતા ન આવે ત્યાં સુધ કૃષ્ણની પ્રાપ્તિ થતી નથી. તેમ તેઓને જણાવ્યુ હતુ. કથા સમાપન બાદ સાંજે જરદોજી બંગલા મનોરથના દર્શન થશે.

(4:04 pm IST)