Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

કાલે જોડીયાધામમાં પૂ. ભોલેદાસજી બાપુના ભંડારામાં સંતવાણી-ભજનોની રંગત જામશે

જોડીયાધામ, તા. પ : જામનગર જિલ્લાના જોડીયા ધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક પ્રસિદ્ધ સ્થળ શ્રી ઉદાસીન સંતકુટીર 'રામવાડી' આશ્રમના સ્મરણીય મહંત પ.પૂ. શ્રી ભોલેદાસજીબાપુ ગુરૂદેવ પૂ. કરણદાસજીબાપુ શુક્રવારે તા. ર૧-૧ર-૧૮ના રોજ બ્રહ્મલીન થયેલ છે  તેમનો 'ઘ્સતરમી દિવ્ય ભવ્ય ભંડારો' (મહાપ્રસાદ) પોષ સુદ એકમ તા. ૬-૧-૧૯ને રવિવારના રોજ બપોરના ૧ર કલાકે જોડીયાધામ 'રામવાડી' ખાતે રાખેલ છે. તેમજ સાંજના પ કલાકે જોડીયા ગામ ધુવાણાબંધ જમણવાર (મહાપ્રસાદ)નું સાથોસાથ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

આજે શનિવારના રોજ સાંજના ૪થી ૭ દરમ્યાન શ્રી જયોતીસ્વરૂપ બાલાહનુમાનજી દાદાના પવાન સન્મુખ સૌ-સાધક-ભાવિક-ભકતજનો દ્વારા સામૂહિકમાં અનેરા સંગીત સાથે સુંદરકાંડના પાઠ-ધૂન-સંકિર્તન તેમજ દીપમાળાની મહાઆરતી, ઢોલ-નગારા અને શંખોદ્વારાથી થશે. સુંદરકાંડના પાઠમાં જોડીયાવાળા કલાકાર અલ્કેશભાઇ સોની સહિત રંગત જમાવશે. તેમજ આજરોજ સવારના ધ્વજાવિધી થયેલ હતી. આ ઉપરાંત તા. પમીએ શનિવારના રોજ રાત્રીના ૯-૩૦ કલાકે સંતવાણી-ભજનનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે. જેમાં ગુજરાત -સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર ભકત સમ્રાટ સુરેશભાઇ રાવળ, ભાવેશભાઇ રાવળ, બેબી મીતલ તેમજ લોકસાહિત્યકાર વિક્રમભાઇ ગઢવી તથા સંગીતના સાથીદારો અનેરા સંગીતની શૈલી સાથે રાત્રીભર સંતવાણી-ભજનોની રંગ જમાવશે.

આ કાર્યક્રમનો શુભ પ્રારંભ મંગલમય દીપ પ્રાગટીયવીધી પૂ. મહંતશ્રી હરિદાસજીબાપૂ, તાલાલા ગીર-ઉદાસીન આશ્રમના મહંત પૂ. શ્રી સતનામદાસબાપૂ તથા સંતોના હસ્તે થશે. આ પ્રસંગે પૂ. ભોલેબાબાજીના સેવક સમુદાય ઉપસ્થિત રહેશે.  ભંડારાનો મહોત્સવ હોય 'રામવાડી' માં ભાવિક-ભકતજનોમાં રામવાડીના દરેક યુવાનોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યા છે તેમ રામવાડીના ભકતજન હર્ષદભાઇ વડેરા, હિતેષ રાચ્છે જણાવેલ છે. (૮.૮)

 

(11:50 am IST)