Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ઓમીક્રોનના ખતરા વચ્ચે મોરબી જીલ્લામાં છેલ્લા ૬ દિવસમાં ૧૭ લોકો વિદેશયાત્રાથી પરત આવ્યા

તમામ મુસાફરના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રને હાશકારો

મોરબી :કોરોના મહામારી વચ્ચે ઓમીક્રોન વેરીએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે આફીકી દેશોમાં નવો વેરીએન્ટ સામે આવતા વિશ્વના તમામ દેશો સાબદા બન્યા છે અને ભારતમાં પણ નવા વેરીએન્ટની એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે મોરબી જીલ્લામાં છેલ્લા ૬ દિવસમાં ૧૭ લોકો વિદેશયાત્રાથી પરત આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

મોરબી જીલ્લાના એપેડેમીક ઓફિસર ડો. સી એલ વારેવરીયા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લામાં છેલ્લા ૬ દિવસમાં ૧૭ લોકો વિદેશથી પરત આવ્યા છે ગત તા. ૨૭-૧૧ થી લઈને આજ સુધીના ૧૭ નાગરિકો વિદેશયાત્રાથી આવ્યા છે જેમાં દુબઈથી ૧૩, ઇટલીથી ૦૨, બાંગ્લાદેશથી ૦૧ અને કેન્યાથી ૦૧ મુસાફર મળીને ૧૭ મુસાફરો પરત ફર્યા છે.
ત્યારે તમામ મુસાફરોના કોરોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા અને તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જેથી હાલ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે છતાં પણ નવા કોરોના વેરીએન્ટને પગલે આરોગ્ય તંત્ર તમામ તકેદારીના પગલા લઇ રહ્યું હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું.

(11:33 pm IST)