Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ધોરાજીના BPAS-સ્વામિનારાયણ મંદિરનો કાલે પાટોત્સવ

ધોરાજી,તા.૪ : બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ  સ્વામિનારાયણ મંદિર નો પંચમ પાટોત્સવ આગામી ૫ને રવીવારે યોજાશે. સવારે ૮ થી ૯ પાટોત્સવ મહાપૂજા છે , ૯ થી ૧૧ અન્નકૂટ ગોઠવણ , અને ૧૧ વાગ્યે અન્નકૂટ આરતી મ્યુઝીકલ તાલ સાથે તેમજ અન્નકૂટના દર્શન ૧૧ થી સાંજના ૭ સુધી થશે , સાંજે ૭ વાગ્યે અન્નકૂટ સંધ્યા આરતી મ્યુઝીકલ તાલ સાથે યોજાશે

 પાટોત્સવમાં ભાવનગર મંદિર ના મહંત પૂજ્ય સોમપ્રકાસ સ્વામી પધારી  પાટોત્સવ  શભાનો લાભ પોતાની  શૈલીમાં આપશે. આ પાટોત્સવને સફળ બનાવવા માટે પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામી , પૂજ્ય સેવાનંદસ્વામી અને સમગ્ર ધોરાજી સત્સંગ મંડળ , મહિલા મંડળ , યુવક મંડળ , યુવતી મંડળ ,બાલ મંડળ , બાલિકા મંડળ  જહેમત ઉઠાવી રહ્યા છે. મુખ્ય સભા સાંજે ૫ થી ૭ અને ૭ વાગ્યે અન્નકૂટ સંધ્યા આરતી મ્યુઝીકલ તાલ સાથે થશે

આ પાટોત્સવ માં ઠાકોરજી ને વાનગી હરિભકતો એ પોતાના તરફથી મીઠાઈ ૩ કિલો, ફરસાણ ૧કિલો  હરિભકતો તરફથી ધરાવવામાં આવશે..

(12:07 pm IST)