Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

કલ્યાણપુરના ધતુરીયામાંં અગાઉના મનદુઃખ બાબતે બઘડાટીઃ સામસામી ફરીયાદ

ખંભાળીયા તા.૪ : કલ્યાણપુર તાલુકાના ધરતુરીયા ગામે નવોદય વિદ્યાલયની સાઇટ પર કોન્ટ્રાકટર સહિતના શખ્સો વચ્ચે બોલાચાલી થયા બાદ સામસામી મારામારીની ફરીયાદ નો઼ધાવવામાં આવી છે.

આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં પ્રકાશચદ હુકમચંદ અગ્રવાલ (ઉ.૬૩) રહે. વાંકાનેર શ્રીજી એપાર્ટમેન્ટ, દરબારગઢ વાળાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગત બપોરે ધતુરીયા તેમની નવોદય વિદ્યાલયની બાંધકામની સાઇટ પર તેમના કર્મચારી સોનુ ગૂપ્તા સાથે હતા. ત્યારે હરપાલસિંહ ધ્રુપતસિંહ જાડેજા તથા મોરબી ખીમા ડેર અને અજાણયા બે માણસો ત્યાં આવી કોઇ બાબતેનું ખાર રાખી લોખંડના સળીયા અને પ્લાસ્ટીકના પઇાપ વડે માર મારી ફેકચર જેવી ઇજાઓ કરતાં સારવારમાં ખસેડાયા હતા. જયારે સામાપક્ષે હરપાલસિંહ ધ્રુપતસિંહ જાડેજા રહે. નગડીયા વાળાએ પ્રકાશચંદ્ર અગ્રવાલ, સોનપાલસિંહ જાટ તથા મનોજકુમરસિંહ રાજપુત અને સોનુ ગૂપ્તા વિરૂદ્ધ અહી સાઇટ પર કેમ આવ્યા છો કહી લોખંડની સળીયા વડે માર માર્યાની વળતી ફરીયાદ નોંધાવી છે. પોલીસે બન્ને ફરીયાદો નોંધી આગળની તપાસ પીએસઆઇ ઠાકરીયા ચાલવી રહ્યા છે.

(1:01 pm IST)